ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોકુલદાસ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧૨)ના અનુયાયી ભક્ત. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના ‘પ્રાકટ્યરસઉત્સવ’માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીમિશ્ર ભાષામાં ૧ અષ્ટક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગવિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે. કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.). સંદર્ભ : ૧ ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો.[કી.જો.]