ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોપાળ : આ નામે જ્ઞાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્યાં છે. પરંતુ ૧૬૨ કડીનો સીધાસાદા કથનથી ચાલતો ‘બોડાણો’(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણજીનો મહિમા’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ ક્યા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૭. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ.[ર.સો.]