ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદદાસ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દ્વારકાદાસશિષ્ય. રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તરરૂપે ‘જન ગોવિંદ’ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની એમની હથોટી દેખાઈ આવે છે. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯.[ચ.શે.]