ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચતુરવિજય : આ નામે કોશાએ સ્થૂલિભદ્રને પોપટ દ્વારા મોકલાવેલ સંદેશ રૂપે રચાયેલ ૧૮ કડીની ‘સ્થૂલિભદ્ર-બારમાસ’ (લે.ઈ.૧૬૯૬; અંશત: મુ.) એ જૈન કૃતિ મળે છે. તેના કર્તા કયા ચતુરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પંડિત ચતુરવિજયને નામે મળતો ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય-૩નો હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]