ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચતુરવિજય-૧ [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : મુપૂગૂહસૂચી.[શ્ર.ત્રિ.]