ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર-૪ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિની પરંપરામાં લલિતસાગર-માણેકસાગરના શિષ્ય. ઈ.૧૬૪૧માં કવિ હયાત હોવાની માહિતી મળે છે. તેમની કૃતિઓમાં ઉલ્લેખાયેલા આધારગ્રંથો તેમના વિશાળ જ્ઞાનની પ્રતીતિ કરાવે છે. કવિની અનેક રાસાત્મક કૃતિઓ મળે છે તેમાંથી ૩૧ ઢાળ અને ૫૧૫ કડીની દુહા-દેશીબદ્ધ ‘સનત્કુમારચક્રીનો રાસ’ (ર. ઈ.૧૬૭૪ કે ૧૬૮૧/સં. ૧૭૩૦ કે ૧૭૩૭, માગશર વદ ૧, મંગળ/શુક્રવાર; મુ.)માં ૨૦ ઢાળ સુધી સનત્કુમારનાં પરાક્રમોનું અદ્ભુતરસિક વૃત્તાંત છે અને પછીના ભાગમાં એના રૂપ-અભિમાનની બોધક કથા છે. કૃતિમાં પ્રગટ થતી, અલંકારોનો પ્રસંગોપાત્ત સમુચિત વિનિયોગ કરતી કવિની વર્ણનકળા ધ્યાનાર્હ છે. ૧૯ ઢાળ અને ૩૦૧ કડીની ‘આર્દ્રકુમારનો રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, ચૈત્ર સુદ ૧૩, સોમવાર; મુ.) આર્દ્રકુમારના પૂર્વભવનું વૃત્તાંત વીગતે વર્ણવે છે અને ભાવવિચારનિરૂપણ મોકળાશથી કરે છે. આ બંને કૃતિઓ ઉપરાંત અન્ય કૃતિઓમાં પણ વિવિધ ગેય દેશીઓનો સરસ વિનિયોગ થયેલો છે. અન્ય રાસાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૪ ખંડ, ૪૭ ઢાળ અને દુહા-દેશીબદ્ધ ૯૩૬ કડીની, શુકરાજની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતી શુકરાજ ઉપરાંત અન્ય પાત્રોના પૂર્વભવોની કથાને પણ ગૂંથી લેતી અને સિદ્ધાચલનું માહાત્મ્ય ગાતી ‘શુકરાજ-આખ્યાન/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૧૩, સોમવાર; *મુ.), ૪૦ ઢાળ અને ૧૧૩૧ ગ્રંથાગ્રની ‘સિદ્ધચક્ર/શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૨૬, આસો વદ ૮, ગુરુવાર; *મુ.), ૧૬ ઢાળ અને ૧૮૭ કડીની ‘ઈલાચીકુમાર-ચોપાઈ/ચોપાઈ/ઈલાપુત્ર ઋષિ-રાસ’(ર.ઈ.૧૬૬૩/સં. ૧૭૧૯, આસો સુદ ૨, બુધવાર; મુ.), ૩ ખંડ અને ૧૦૦૬ કડીની ‘ધમ્મિલવિલાસ-રાસ’(ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, કારતક સુદ ૧૩, ગુરુવાર), ૬૨ ઢાળની ૧૪૩૫ કડીની ‘શાંતિનાથ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૪/સં. ૧૭૨૦, કારતક વદ ૧૧, રવિવાર), ૩૯ ઢાળની ૭૪૫ કડીની ‘ચિત્રસંભૂતિ ઋષિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, પોષ સુદ ૧, ગુરુવાર), ૧૬ ઢાળ અને ૨૧૧ કડીની ‘આષાઢાભૂતિ-ચોપાઈ/પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, પોષ વદ ૨), ૧૬ ઢાળ અને ૨૮૩ કડીની ‘નંદિષેણમુનિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, કારતક વદ ૮, મંગળવાર), ૭૨૧ કડીની ‘પરદેશી રાજાનો રાસ’ (ર.ઈ.૧૬૬૮ કે ૧૬૭૮/સં. ૧૭૨૪ કે ૧૭૩૪, જેઠ સુદ ૧૩, રવિવાર) ‘ધન્ના-ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૧) અને ‘શાંબકુમારપ્રદ્યુમ્નકુમાર-રાસ’. ૫ ઢાળ અને ૫૯ કડીની ‘ધન્નાઅણગાર-સઝાય’ (ર.ઈ.૧૬૬૫/સં. ૧૭૨૧, શ્રાવણ સુદ ૨, મંગળ/શુક્રવાર; મુ.), ૯ ઢાળ અને ૭૮ કડીની ‘સ્થૂલિભદ્ર-નવરસો/સ્થૂલિભદ્રકોશા-ગીત’ (*મુ.), ૫ ઢાળ અને ૫૦ કડીની ‘રામચંદ્રલેખ’ (ર.ઈ.૧૬૬૭/સં. ૧૭૨૩, આસો સુદ ૧૩), ૩૬ કડીની ‘આબુચૈત્યપરિપાટી/ઋષભ-સ્તવન’ (મુ.) અને ‘ચોવીસી’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. (શ્રી) સનતકુમાર ચક્રીનો રાસ, પ્ર. જૈન જ્ઞાનદીપક સભા, ઈ.૧૮૮૬.  ૨. એલાચીકુમારનો ષટ્ઢાલિયો તથા આર્દ્રકુમારનો રાસ, મુ. જગદીશ્વર પ્રેસ, ઈ.૧૮૮૭; ૩. એજન, મુ. સવાઈભાઈ રાયચંદ,-; ૪. એલાયચીકુમારનો રાસ તથા બાર ભાવના અને અઢાર પાપસ્થાનકાદિની સઝાયોનો સંગ્રહ,-, ઈ.૧૮૮૫; ૫. જૈસસંગ્રહ(ન.); ૬. મોસસંગ્રહ;  ૭. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬-‘જ્ઞાનસાગર કૃત આબુની ચૈત્યપરિપાટી’. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ: ૨, ૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગભાઈ ૧૯(૧,૨); ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]