ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનાર્દન-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જનાર્દન-૨ [ ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ, જંબુસરના વતની. ‘ઓખાહરણ’ના કર્તા. ‘નરસિંહયુગના કવિઓ’એ આ કાવ્યની જનાર્દન-૧ના ‘ઉષાહરણ’ સાથે ભેળસેળ કરી છે, પરંતુ એમણે આપેલો કવિપરિચય અને ઉદ્ધૃત કરેલી પંક્તિઓ કવિ તથા કૃતિ બંને અલગ હોવાનું બતાવે છે. આ ‘ઓખાહરણ’ સળંગ દોહરાની રચના હોય એવું લાગે છે. સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]