ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતસી-જયરંગ-૧-જેતસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયતસી/જયરંગ - ૧/જેતસી [ઈ.૧૭મી સદી મધ્યભાગ) : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં પાઠકપુણ્યકલશના શિષ્ય. કવનકાળ ઈ.૧૬૪૪થી ઈ.૧૬૬૫. એમનો દુહા-દેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘કયવન્નાશાહનો રાસ’  (ર.ઈ.૧૬૬૫; મુ.) પૂર્વભવમાં સુપાત્રે દાન કર્યાના પરિણામે આપત્તિઓમાંથી ઊગરી જતા કયવન્નાનું રસપ્રદ વૃત્તાંત વર્ણવે છે ને મનોભાવનિરૂપણ, અલંકારરચના, વાક્છટા ને ગેયતાથી ધ્યાન ખેંચે છે. કવિની અન્ય કૃતિઓમાં ૧૧ ઢાળની ‘દશવૈકાલિક-સર્વઅધ્યયન-ગીત/સઝાય’ (ર.ઈ.૧૬૫૧; મુ.), ૨૭૭ કડીની ‘અમરસેનવયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૪/૧૬૬૧), ‘ચતુર્વિધસંઘનામમાલા’ (ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦, શ્રાવણ -), ૭૬ કડીની ‘દશવૈકાલિક ચૂલિકા-ગીત’, ૧૦૧ કડીની ‘પાર્શ્વનાથ-છંદ’, ‘દશશ્રાવક-ગીત’ તથા ૯ કડીની ‘વ્યસનની સઝાય’(મુ.)નો સમાવેશ થાય છે. ‘પાર્શ્વનાથ-છંદ’ ભૂલથી પુણ્યકલશને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. કયવન્ના શાહનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૦;  ૨. જ્ઞાનાવલી; ૩. મોસસંગ્રહ; ૪. સજ્ઝાયસંગ્રહ, પ્ર. લક્ષ્મીચંદજી ક. બાફના, સં. ૧૯૮૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ક.શે.]