ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતિલકસૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયતિલકસૂરિ : આ નામે ‘આદિનાથ-વિવાહલુ’ (લે. સં. ૧૬મી સદી અનુ.), ૧૮ કડીની ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ તથા ૧૭ કડીની ‘આબુ-ચૈત્યપરિપાટી’ એ કૃતિઓ નોંધાયેલી મળે છે તે કયા જયતિલકસૂરિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “ગિરનાર-ચૈત્યપરિપાટી” “હું મૂરખપણઇ અચ્છું અજાણ’ શ્રી જયતિલકસૂરિ બહુમાન” એ પંક્તિને કારણે જયતિલકસૂરિ-શિષ્યની રચના હોવાનો સંભવ પણ રહે છે. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં ૧; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]