ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જાગેશ્વર-૧-યાગેશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાગેશ્વર-૧/યાગેશ્વર [               ]: લિંબજીના પુત્ર. ૧૧૩ કડવાંએ અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિની રચના આ પિતા-પુત્રે સાથે મળીને કરી છે. કૃતિમાં બંનેનાં નામ અવારનવાર આવ્યાં કરે છે. ચોપાઈબંધમાં રચાયેલી આ કૃતિમાંનાં વર્ણનોની પ્રચુરતા અને રસાળતા તથા શબ્દરચના તેમ જ અલંકારના સૌંદર્યનો પ્રયત્ન ધ્યાન ખેંચે એવાં છે. વર્ણન તેમ જ પ્રસંગનિરૂપણમાં મૂળ ‘રામાયણ’થી જુદા ને નવતર અંશો પણ ક્યારેક જોવા મળે છે, જેમ કે ગોભિલ્યની અસુંદરતાનું વર્ણન, રામની બ્રાહ્મણપ્રિયતા પ્રગટ કરતો પ્રસંગ વગેરે. સંદર્ભ : ફાત્રેમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૭૪ - ‘લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ,’ દેવદત્ત શિ. જોશી.[કી.જો.]