ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિજય ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિતવિજય(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિ-વિજયસેનસૂરિના શિષ્ય કનકવિજયના શિષ્ય. સંભવત: વિજયસેનસૂરિના આચાર્યકાળ(ઈ.૧૫૭૪થી ઈ.૧૬૧૬)માં રચાયેલ ૯૫ કડીના ‘સુપાર્શ્વ-જિન-સ્તવન’ (‘સંવત સંખ્યા મનિ ધરુએ, સ્વેતવાડ્ય ઋતુસાર કી અબ્દ હવઈ ભણુંએ ઇન્દ્રીસખી મનુ ધરુ એ,’ આસો સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]