ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડુંગર : ડુંગરને નામે સં. ૧૬ની સદીમાં રચાયેલી જણાતી ૧૩ કડીની ‘ખંભાત-ચૈત્યપરિપાટી’ (મુ.) તથા ૭૫ કડીની ‘નેમિનાથ સ્તવન’ અને ડુંગરમુનિને નામે ૧૫ કડીની ‘વિમલજિન-સ્તવન’ એ કૃતિઓ મળે છે. એ કયા ડુંગર છે એ નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘ખંભાત-ચૈત્યપરિપાટી’ના કર્તાને શ્રાવક ગણવામાં આવ્યા છે પણ એ માટે કાવ્યમાં કશો આધાર નથી. કૃતિ : ૧. જૈનયુગ, વૈશાખ ૧૯૮૨ - ‘ખંભાયત ચૈત્યપરિપાટી’ ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૫ - ‘ખંભાત ચૈત્યપરિપાટી’, સં. રમણિકવિજયજી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]