ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજપાલ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેજપાલ-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: લોંકાગચ્છના જૈનસાધુ. તેજસિંહશિષ્ય ઇન્દ્રજીના શિષ્ય. આ કવિએ ૨૫ ઢાળની ‘રત્નપંચવીશી/રત્નચૂડ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫, નભ માસ સુદ ૧૩, રવિવાર), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, વૈશાખ સુદ ૩) અને ‘થાવચ્ચામુનિ-સઝાય’ એ કૃતિઓની રચના કરી છે. સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨, ૩(૨).[ર.સો.]