ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજસિંહ ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તેજસિંહ(ગણિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૮૭] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં કર્મસિંહશિષ્ય કેશવજીના શિષ્ય. વતન પંચેટિયા/પાંચટિયા. ઓસવાલ ઉસભ ગોત્ર. પિતા લખમણ. માતા લખમાદે. દીક્ષા ઈ.૧૬૫૦. પદસ્થાપના ઈ.૧૬૬૫. અવસાન ઈ.૧૬૮૭. આ કવિએ ‘પ્રતિક્રમણ સઝાય’ નામની એક મુદ્રિત કૃતિ ઉપરાંત ‘નેમનાથ-સ્તવન’, ૪૫ કડીનું ‘આંતરાનું સ્તવન’ (ર. ઈ.૧૬૭૯), ૪ કડીનું ‘સુવિધિજિન-સ્તવન’ (મુ.), ૫ કડીનું ‘અજિતજિન-સ્તવન’ (મુ.) ઉપરાંત ઈ.૧૬૫૫થી ઈ.૧૬૯૨ - ‘સીમંધરસ્વામી-સ્તવન’-નાં રચનાવર્ષો દર્શાવતાં તીર્થંકરસ્તવનો તેમ જ અન્ય સ્તવનો આ કવિને નામે મળે છે, જેમાં ‘સીમંધર સ્વામી-સ્તવન’નું રચનાવર્ષ એમના અવસાનવર્ષને લક્ષમાં લેતાં શંકાસ્પદ ગણાય. ‘ગણિ તેજસિંગજી’ને નામે ૮ કડીની ‘પ્રતિક્રમણ-સઝાય’ (મુ.) મળે છે તે આ કવિની જ રચના હોવાનું સમજાય છે. આ કવિએ સંસ્કૃતમાં રચેલાં ‘દૃષ્ટાંત-શતક’, ‘સિદ્ધાંત-શતક’ તથા ‘ધર્મચતુસ્ત્રિંશિકા’ ગુજરાતી બાલાવબોધ સાથે મળે છે (પહેલી કૃતિ મુ.) તેમાં બાલાવબોધ કવિનો જ રચેલો છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. ત્રીજી કૃતિનો સમય ઈ.૧૭૦૯ દર્શાવાયો છે તે કાં તો લેખનસંવત હોય અગર કૃતિ અન્યકર્તૃક હોય એમ બતાવે. આ ઉપરાંત એમણે સંસ્કૃતમાં ‘વિદ્વત્-શતક’ તથા ‘ગુરુગુણમાલા’ રચ્યાં હોવાની અને આ બીજી કૃતિ એમના શિષ્ય કાનજીએ ઈ.૧૬૯૫માં પૂરી કરી હોવાની માહિતી નોંધાયેલી છે. કૃતિ : ૧. જૈનકથારત્નકોષ : ૫, પ્ર. શા. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’  ૨. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચિ’, અગરચંદજી નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. લીંહસૂચી.[ર.સો.]