ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસાગર-૨-દામોદર મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાસાગર-૨/દામોદર(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ઉધયસાગરના શિષ્ય. ૩૬૫ કડીની ‘સુરપતિકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, બીજા ભાદરવા સુદ ૬, સોમવાર), દુહાબદ્ધ ‘મદનશતક’ (ર.ઈ.૧૬૧૩) તથા ૫૬૮ કડીના ‘મદનકુમાર-રાસ/મદન નરેશ્વર ચંદ્ર શ્રેષ્ઠિ ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]