ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવેન્દ્રકીર્તિ ભટ્ટારક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક) [ઈ.૧૬૬૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ’ (ર.ઈ.૧૬૬૬) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]