ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નંદ : આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની ‘ચૌદ સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં.૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે ૪ કડીનું ‘સિદ્ધાચલ/શત્રુંજ્યસ્તવન’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ તે નન્નસૂરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.; ર.ર.દ.]