ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નથુ : આ નામે કેટલાંક જૈનેતર પદો નોંધાયેલા છે. તેમ જ વ્રજહિંદીની અસરવાળી ગુજરાતીમાં નેમનાથવિષયક તથા અન્ય ત્રણથી ૪ કડીનાં સ્તવનો(મુ.) તથા હોરી(મુ.) એ જૈન કૃતિઓ પણ નોંધાયેલી છે. તેના કર્તા કયા નથુ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ નથુરામ. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈકાસંગ્રહ; ૫. મોતીશાનાં ઢાળિયા, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.; શ્ર.ત્રિ.]