ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયસાગર : આ નામે ૫ કડીનું ‘મહાવીર સ્વામીનું સ્તવન’ (મુ.) અને ૧ સઝાય (મુ.) મળે છે. તેના કર્તા કયા નયસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : શોભનસ્તવનાવલી, પ્ર.શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ.૧૮૯૭. સંદર્ભ : ફોહનામાવલિ. [કી.જો.]