ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસિંહ-૪ [ઈ.૧૭૬૯માં હયાત] : કવિ ‘વીરક્ષેત્ર’ એટલે કે વડોદરાના વતની જણાય છે. ‘બોડાણા-ચરિત્ર’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, માગશર વદ ૧૧, શનિવાર)ના કર્તા. કર્તાને રવિસુત કહેવામાં આવ્યા છે તે ભૂલ છે. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [કી.જો.]