ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસિંહદાસ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : જૈનશ્રાવક. દુહા-ઢાળબદ્ધ ૩૩ કડીના ‘(મગસીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભૂલથી સં. ૧૭૭૮ જણાવાયો છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ઈ.૧૯૩૯-‘(શ્રી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ-સ્તવન’, સં. જ્ઞાનવિજયજી (+સં.); ૨. એજન, ફેબ્રુ. ૧૯૪૮-(સં.૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) મગસીમંડન જિનસ્તવન’ સં. જ્ઞાનવિજ્યજી (+સં.). [શ્ર.ત્રિ.]