ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી.[ર.સો.]