ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી-૩ નાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાનજી-૩/નાનો [                ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફીણ જેવાં વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કુંડળિયા (મુ.) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ સાખી(મુ.)ના કર્તા. કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. [શ્ર.ત્રિ.]