ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી ઋષિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાનજી(ઋષિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની ‘વર્ધમાન સ્વામી/મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૨), ૨૪ કડીની ‘પંચવરણી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો વદ ૩૦) તથા ૩૧ કડીની ‘નેમિ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, આસો વદ ૩૦) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]