ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ મુનિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘સુમતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘વાસુપૂજ્ય જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯) ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભિનંદનજિન-સ્તવન’ (ર.ઈ ૧૬૩૧), ૧૯ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના ‘નેમિનાથ જિન-સ્તવન’ વગેરે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]