ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યસૌભાગ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિત્યસૌભાગ્ય [ઈ.૧૬૭૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસૌભાગ્યના શિષ્ય. ૧૬ ઢાલ અને ૪૦૦ કડીની ‘નંદબત્રીસી’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧ મહા સુદ-) અને ૨૫ ઢાલની ‘પંચાખ્યાન-ચોપાઈ/કર્મરેખાભાવિની ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, આસો સુદ ૧૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]