ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નેમિનાથ-રાસ’  : ત્રિપદીની ૨૩ કડીના આ અજ્ઞાતકર્તૃક રાસ (લે.સં.૧૫મી સદી અનુ.; મુ.)નો આરંભ નમસ્કારને બદલે સીધો વસંતના પ્રકૃતિવર્ણનથી થાય છે ને શણગાર સજીને નીકળેલી સુંદરીઓ દ્વારા નેમિનાથનું ચરિત્રગાન પ્રસ્તુત થાય છે. નેમિનાથનું ગુણવર્ણન કરી એમની ટૂંકી જીવનરેખા આપતા આ કાવ્યમાં લગ્નોત્સવ, જાન ને રાજિમતીના સૌંદર્ય-શણગારનાં વર્ણનો તથા સાહજિક રમણીય પ્રાસાનુપ્રાસયુક્ત શબ્દશૈલી આસ્વાદ્ય છે. કૃતિ : પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : મરાસસાહિત્ય. [જ.કો.]