ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિ-બારમાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નેમિ-બારમાસ’ : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : (+સં.). [જ.કો.]