ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ પંડિત-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરમાનંદ (પંડિત)-૨ [ઈ.૧૬૧૫ પહેલાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના શિષ્ય. ‘નાના દેશી ભષામય-સ્તવન’ (ર. ઈ.૧૬૧૫ પહેલાં) તથા ૬૨/૯૭ કડીના ‘પાર્શ્વચિંતામણિ સ્તવન/પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]