ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રીતિવિજય-૨ [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં આનંદવિજયના શિષ્ય. ૪૬૧ કડીનો ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુવાર), ૬/૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય/આત્મ શિખામણ-સઝાય’, ૭ કડીની ‘ક્રોધની સઝાય’, ૫ કડીની ‘સંવેગ-સઝાય’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી, ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]