ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમ સાહેબ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેમ(સાહેબ)-૩ [જ.ઈ.૧૭૯૨/સં. ૧૮૪૮, પોષ વદ ૨-અવ. ઈ.૧૮૬૩] : સૌરાષ્ટ્રમાં આવેલા કોટડા-સાંગાણી ગામના વતની. પિતા પદમાજી મિસ્ત્રી, માતા સુંદરબાઈ.જ્ઞાતિએ કડિયા. તેઓ જીવણસાહેબના શિષ્ય હતા અને જ્ઞાતિભેદમાં માનતા ન હતા. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. પ્રેમસાહેબે ભજન-પદ (૧૫ મુ.)ની રચના કરી છે. તેમનાં પદોમાં ક્યાંક હિંદીની છાંટ વર્તાય છે. કૃતિ : ૧. અભમાલા; ૨. ભાણલીલામૃત; સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૩. યોગવેદાન્ત ભજન ભંડાર, સં. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.)[કી.જો.]