ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બરજોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બરજોર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પરસી કવિ. જન્મ નવસારીમાં. પિતાનામ ફરેદુન. કવિની ‘વંદીદાદ’ જેવા જરથોસ્તી ધર્મગ્રંથોને આધારે ધર્મ સંબંધી ક્રિયાકાંડોનું આલેખન કરતી ૨૭૨ કડીની ‘ભલી દીનની શફીઅત’ (ર.ઈ.૧૬૮૦થી ૧૭૦૦) એ દુહામાં રચાયેલી વર્ણનાત્મક કૃતિ મળે છે. કવિએ કૃતિમાં ધર્મના ઘણાખરા અગત્યના ક્રિયાકાંડોનું જે રીતે વર્ગીકરણ કર્યું છે અને લાઘવથી તેનો મહિમા વર્ણવ્યો છે તે આ કૃતિની ખાસ ખૂબી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા : ૧, ૨, પ્ર. પેરીન દારા ડ્રાઇવર ઈ.૧૯૭૪, ઈ.૧૯૭૯. [ર.ર.દ.]