ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બદ્રીનાથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બદ્રીનાથ [                ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. દુહામાં રચાયેલી ૫૯ કડીની, ઈ.૧૮૧૩માં મૂળી આવેલા સહજાનંદ સ્વામીએ મૂળીના મંદિરની જે યોજના કરી તેની વિગતો આપતી ‘મૂળીમહાત્મ્ય’(મુ.), ૬ કડીનું ‘અયોધ્યાલીલાનું પદ’(મુ.) તથા સુખાનંદ વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનો નિર્દેશ કરતાં હિંદી પદો (ર.મુ.)ની તેમણે રચના કરી છે. કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદ કૃત, ઈ.૧૯૪૨; ૨. હરિચરિત્રચિંતામણી, દયાનંદ સ્વામીકૃત, સં. ૨૦૨૦. [કી.જો.]