ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બેચર-બેચરદાસ-બહેચર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બેચર/બેચરદાસ/બહેચર : ‘બેચરના નામે ‘દાણલીલાના સવૈયા’ તથા ‘કક્કો’, ‘બહેચર’ના નામે પદ તથા બહેચરદાસને નામે આઠથી ૧૫ કડીના ૪ ગરબા(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રકાકૃતિઓ;  ૩. ગૂહાયાદી.[કી.જો.]