ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભગવાનદાસ-૧ [જ.ઈ. ૧૬૨૫/સં. ૧૬૮૧ શ્રાવણ વદ ૯, મંગળવાર-અવ.ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો વદ ૩૦] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અવટંકે કાયસ્થ. સુરતના વતની. અપરનામ ભાઉ મૂળજી. આ કવિ સામાન્ય સ્થિતિમાંથી સુરતના નવાબના દીવાનપદે પહોંચ્યા હોવાનું તેમ જ એ અરબી, ફારસ, મરાઠી અને સંસ્કૃતની સારી જાણકારી ધરાવતા હોવાનું નોંધાયું છે. ભગવદ્ગીતા અને ભાગવતના એકાદશ સ્કંધના અનુવાદો, ‘ફૂલગીતા’ તથા ‘સુદામાચરિત્ર’ આ કવિની વચ્ચેવચ્ચે ગુજરાતી કડીઓવાળી, પ્રાય: હિન્દીમાં લખાયેલી કૃતિઓ છે. તેમણે વૈષ્ણવ સંપ્રદાયનાં ઉત્સવનાં પદો પણ લખ્યાં હોવાનું નોંધાયું છે. સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગુસાઇતિહાસ: ૩. ગુસાપઅહેવાલ : ૫; ૪. ગુસામધ્ય; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ફૉહનામાવલિ. [ર.સો.]