ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાન-ભગવાનદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભગવાન/ભગવાનદાસ : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ઉપાસનાનાં હિન્દીમિશ્ર ગુજરાતી પદો (કેટલાંક મુ.), કેટલાક હિન્દી છપ્પા (લે.ઈ.૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પદ, માસ (લે.ઈ.૧૮૪૦), ‘શરણગીતા’ (લે.ઈ.૧૯૫૬) અને આદિ પુરાણમાંના ગોપાંગનામાહાત્મયના પ્રસંગને અર્જુનકૃષ્ણના સંવાદ રૂપે આલેખતી ‘ભજનલીલા’ (લે.ઈ.૧૬૪૩) તથા ૨૬ કડીનું ‘મહેતા નરસિંહના બાપનું શ્રાદ્ધ’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભગવાન/ભગવાનદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાસંગ્રહ; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]