ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ-૩-ભાણચંદ્ર-ભાનુચંદ્ર-ભાણજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાણ-૩/ભાણચંદ્ર/ભાનુચંદ્ર/ભાણજી [જ.ઈ.૧૭૪૭-અવ. ઈ.૧૭૮૧] : જૈન સાધુ. વાઘજીમુનિના શિષ્ય. ૬ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’ (મુ.), ૬ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ૫ કડીની ‘પર્યુષણપર્વની સઝાય’, ‘ચતુવિંશતિજિન-સ્તવન’, ૫ કડીનું ‘અભિનંદન-સ્તવન’ તથા ૪ કડીની ‘વસંત-ધમાલ’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧, પ્ર. કોઠારી કેશવલાલ છ. સં. ૨૪૩૧; ૩. જૈરસંગ્રહ; ૪. સ્તવન સઝાયસંગ્રહ, સં. સાગરચંદ્ર મહારાજ, ઈ.૧૯૩૭. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨ (+સં.);  ૨. મુપુગૂહસૂચી.[કા.શા.]