ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણ-૪-ભાણવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાણ-૪/ભાણવિજ્ય [                ] : તપગચ્છના જૈન સાધુ. ભાવવિજ્યના શિષ્ય. ૨૩ કડીનું અષ્ટાપદનનો મહિમા દર્શાવતું ‘અષ્ટાપદ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી; મુ.) અને ૨૨ કડીનો ‘ગોડી પાર્શ્વનાથ-છંદ’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુ ગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]