ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂખણ-ભૂષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભૂખણ/ભૂષણ [ઈ.૧૮૫૪ સુધીમાં] : વેલાળના રૈકવ બ્રાહ્મણ. ઈશ્વરભક્તિ અને વૈરાગ્યબોધનાં, ભુજંગી છંદમાં લખાયેલાં ૫ અષ્ટકો (કેટલાંક નવપદી, અગિયારપદી કે બારપદી પણ છે; મુ.), ‘અવલોક’ (લે.ઈ.૧૮૫૪), ‘જ્ઞાનકૂંચી’ (લે.ઈ.૧૮૬૦) એ નામનાં પદો તથા અન્ય કેટલાંક ભજનો અને પદો (કેટલાંક મુ.)ની તેમણે રચના કરી છે. આ ઉપરાંત હિંદીમાં લખાયેલા ઇતિહાસવિષયક કવિત્તમાં ભૂખણ/ભૂષણ એવી નામછાપ મળે છે. ‘એકાદશી-મહાત્મ્ય’ નામની કૃતિના કર્તા ભૂષણદાસને ‘કવિચરિત : ૩’ આ કવિથી જુદા ગણે છે પણ એને માટે કોઈ આધાર નથી. કૃતિ : ૧. કાદોહન : ૧ (+સં.); ૨. પ્રેમરસમાળા, પ્ર. ત્રિભોવન રૂ. જાની, ઈ.૧૮૬૬; ૩. બૃકાદોહન : ૧; ૪. બૃહત ભજનસાગર, પ્ર. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૫. ભક્તિ, નીતિ અને વૈરાગ્ય-બોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભજનસાગર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફૉહનામાવલિ.[ર.સો.]