ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિલાભ-મયાચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મતિલાભ/મયાચંદ [ઈ.૧૭૪૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ઋષિવલ્લભના શિષ્ય. ૪૫ કડીના ‘નવતત્ત્વ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, જેઠ સુદ ૪) તથા ૧૩ કડીના ‘જિનેશ્વરના ચોત્રીસ અતિશયનો છંદ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]