ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મદન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મદન-૧ [ઈ.૧૭૧૭માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. વિજયક્ષમાસૂરિના શિષ્ય. જ્ઞાતિએ ઓસવાલ. ૧૫ ઢાલ ને ૧૦૮ કડીના ગુજરાતમાં થયેલા મુસ્લિમ અત્યાચારોની ઐતિહાસિક ઘટનાનો પણ નિર્દેશ કરતા ‘સીમંધરસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૮૩, મૌન એકાદશી, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૫૫-‘મદનરચિત ‘સીમંધર સ્તવન’ મેં ઐતિહાસિક ઉલ્લેખ’, અગરચંદ નાહટા.[ર.સો.]