ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનોહર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મનોહર-૧ [ઈ.૧૬૨૦માં હયાત] : વિજયગચ્છના જૈન સાધુ. ગુણસૂરિની પરંપરામાં મલ્લિદાસના શિષ્ય. ૪૭ કડીના ‘યશોધર-ચરિત્ર’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬; શ્રાવણ વદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧. [ગી.મુ.]