ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહેશ્વર સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહેશ્વર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]