ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસિંહ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનસિંહ-૩  : [ઈ.૧૭૭૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય/કલાવતીનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કર્તા ભૂલથી માલસિંહ નામે નોંધાયા છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૧; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]