ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માવજી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માવજી-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઈ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’, સં. કચરાલાલ શ. સોની (+સં.).[શ્ર.ત્રિ.]