ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિસાગર-૧-રાજસાગર પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત) [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની ‘કેવલીસ્વરૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૧૬થી ઈ.૧૬૩૦ સુધીમાં; મુ.)ના કર્તા. કૃતિ : જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, સં. ૨૦૨૪. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]