ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગ : આ નામે ‘નેમનાથનું સ્તવન’(મુ.), ૧ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વજિન-કવિત’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું ‘પારસનાથજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘રંગકવિ’ને નામે ૧૯ કડીનો ‘ખીચડ-રાસ’ (લે.ઈ.૧૭૪૬), ‘રંગવિબુધ’ને નામે ૫ કડીનું ‘સુપાસજિન-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ‘રંગમુનિ’ને નામે ‘રાત્રિભોજનનાં ચોઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૧) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિના કર્તા કયા ‘રંગ’ - છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. મોતીશાનાં ઢાળીયાં, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪; ૪. રત્નસાર : ૩; ૫. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]