ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગકુશલ : આ નામે ૭ કડીની ‘આત્મહિતોપદેશ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) અને ‘પંચકર્મગ્રંથ’ પર બાલાવબોધ (લે.સં. ૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રંગકુશલ છે તે સ્પષ્ટ થતું નથી. ૨૫ કડીના ‘ભવવૈરાગ્યહોલી-ફાગ’ (ર.ઈ.૧૬૧૨)ના કર્તા સમયદૃષ્ટિએ રંગકુશલ-૧ હોવાની શક્યતા છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]