ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદની પરંપરામાં કૃષ્ણવિજ્યના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨-સુદ ૭, સોમવાર; મુ.), ૪ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૭), ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ ‘નેમિજિન પંદરતિથિ-સ્તવનો/નેમિનાથજીની પંદર-તિથિ’ અને આદિનાથ, ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તા. કૃષ્ણવિજ્યશિષ્યને નામે મળતા ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિજ્ય હોવાની શક્યતા છે. કૃતિ : શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]