ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિનય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગવિનય : આ નામે હિન્દીમિશ્ર ગુજરાતીમાં ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના દેહપ્રમાણનું સ્તવન’(મુ.) અને ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના આયુષ્યપ્રમાણનું સ્તવન’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રંગવિનય છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.]